આ સંસ્થાનો વહીવટ લોકશાહી પધ્ધતિથી ચાલે છે. ૨૫૧ સભ્યોની કારોબારી સમિતિ વહીવટ કરે છે. આ કારોબારી સમિતિ દ્વારા નીચે મુજબ હોદ્દેદારોની લોકશાહી પધ્ધતિથી નિમણુંક થાય છ
- પ્રમુખશ્રી
- બે ઉપપ્રમુખશ્રીઓ
- માનદમંત્રીશ્રી
- ત્રણ સહમંત્રીશ્રીઓ
- બે ખજાનચીઓ
- પાંચ ટ્રસ્ટીશ્રીઓ
- બે આંતરીક ઓડીટરશ્રીઓ
આ સંસ્થા રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટનો નંબર અ/૯૪૩ મહેસાણા છે. કારોબારી સમિતિ જુદી જુદી પેટા કમિટીઓથી વહીવટ ચલાવે છે, જે નીચે મુજબ છેઃ
- બાંધકામ કમિટી
- રાજભોગ અને દેવસ્થાન કમિટી
- પ્રચાર અને પ્રકાશન કમિટી
- મિલકત ખરીદ-વેચાણ કમિટી
- કાયમી લગ્નોત્સવ કમિટી
- વિશ્રાંતિગૃહ કમિટી
- ભોજનાલય કમિટી
કેળવણી સહાયક કમિટી
- શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ-અંબાજી કમિટી
- શ્રી ના.મા.પટેલ (લાટીવાળા) પરિવાર-શ્રી ઉમિયા પથિકાશ્રમ કમિટી-બેચરાજી
- શ્રી ઉમિયા માતાજી કેમ્પસ- સોલા કમિટી
- વિધવા ત્યકતા સહાય સર્વે કમિટી
- ઉચ્ચ શિક્ષણ સહાયક નિધિ કમિટી
- પ્રસાદ- સાહિત્ય વેચાણ કમિટી
- રામ પારાયણ અન્ન સહાય- સદાવ્રત કમિટી
- શ્રી ઉમિયા પરિવાર ઉત્કર્ષ નિધિ કમિટી
આ સર્વ કમિટીઓ દ્વારા માતાજીનો વહીવટ ચાલે છે. સૌ પ્રથમ યાત્રી સુવિધાનું ધ્યાન રખાય છે. સાથે સાથે સમાજનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રયત્નો થાય છે. કડવા પાટીદાર સમાજ માની ભક્તિ અને આશીર્વાદથી પોતાનો વિકાસ સાધી એક સમક્ષ નિર્વ્યસની, પ્રમાણિક, પરિશ્રમી અને સમાજમાં આગવી ઓળખ ઉભી કરે તેવા પ્રયત્નો થાય છે.
શ્રી ઉમિયા માતાજીના વહીવટમાં ભાગ લેવા માટેની વ્યવસ્થા-
રૂપિયા ૧૦૦૦/- ભરી આજીવન સભ્ય બની શકાય છે.
રૂપિયા ૨૫૦૦૦/- ભરી ઉચ્ચ શિક્ષણ સહાય નિધિના સભ્ય બની શકાય છે.
આ સભ્ય ઉચ્ચ શિક્ષણની વગર વ્યાજની લોન લેનાર વિઘાર્થીની ભલામણ કરી શકે છે. |